30 January 2009

વિષાદ

વિરહની વાટે પ્રણયને નિરખુ નજરથી,
તારા આવવાના એંધાણનો કેવો જુરાપો.

અમૃતને આંજી વહાલપ નિરખુ નજરથી,
મારા અંતરના ઍંધાણનો કેવો બળાપો.

અંધારે આવીને પડછાયો નિરખુ નજરથી,
હતો વિષાદના ઍંધાણનો કેવો કઢાપો.

એકાદ ક્ષણને સળગતી નિરખુ નજરથી,
વેરી વહાલાના ઍંધાણનો કેવો બુઢાપો.

1 comment:

  1. Anonymous3:21 PM

    વિરહની વાટે પ્રણયને નિરખુ નજરથી,
    તારા આવવાના એંધાણનો કેવો જુરાપો.


    aakhi gazal khub j sundar che pan aa be line mane khub j gami...

    ReplyDelete