10 January 2009

આઝાદી?

આતંકવાદી વિદેશી તાકતોથી 
આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોથી
નથી મળી આઝાદી નાગરિકોને

ભ્રષ્ટનેતાઓનાં ભ્રષ્ટાચારથી
અધિકારીઓનાં ખિસ્સા ભરવાથી
નથી મળી આઝાદી જનતાને

અબળાને દમનનો ભોગ બનવાથી
ભૃણહત્યા કરવાની લાચારીથી 
નથી મળી આઝાદી નારીને

ભૂલકાંઓને શ્રમદાન કરવાથી
શ્રમદાન આપી અશિક્ષિત રહેવાથી
નથી મળી આઝાદી ભાવિને

યુવાનોને બેરોજગારીથી ઝઝૂમવાથી
ડિગ્રી લઈ દર-દર ભટકવાથી
નથી મળી આઝાદી યુવાનોને

No comments:

Post a Comment