16 January 2009

પાયાના પથ્થર

મંદિર મસ્જિદના પાયામાં પડ્યા પથરા ડોલ્યા
મંદિરની ધજા ને કળશ ઉનાં આંસુથી રોયા,
મસ્જિદના મિનારા મારો - કાપોમાં ભરમાયા
નિર્દોષોની હાય સુણીને ખંડેરોમાં ફેરવાયા
ધર્મને નામે તાંડવ સર્જી લોહીની હોળી ખેલ્યા
નામની નનામી કાઢી લાખો જીવો ખોયા
વેરઝેરમાં ગળાડુબ થઇ ઇશ્વર અલ્લાહ ભૂલ્યા

-પ્રવિણા કાકડીયા

No comments:

Post a Comment