08 January 2009

અસ્તિત્વનો લય

આપણાં અસ્તિત્વનો લય પામવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, આ અસ્તિત્વ કેટલું અનન્ય છે! આપણાં જીવનનું મૂલ્ય આપણાં જેટલું બીજા કોને સમજાઈ શકે ! ક્યારેક થાય છે કે સાવ જ અપ્રત્યક્ષ અચિન્ત્ય, અપ્રમેય, અને લગભગ અપ્રાપ્ય એવા પરમેશ્ર્વર વગર આપણું કશુંય અટકે છે ખરું ! જેઑ એ કશુંક પ્રાપ્ત કર્યું છે એવા ગુરુઓ ઝટ જડતા નથી અને જેઓને કશુ નથી જડ્યું તેઓ આપણને છેતરવા માટે ટાંપીને બેઠા છે. સામાન્ય માણસે ક્યાં જવું ? કબીર પાસે આ સમસ્યાનો ઉકેલ છે.


લહર ઢૂંઢે લહરકો કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો તીનો ઉત કે ઉત.


વાત ગળે ઊતરે તેવી છે. લહેર થી લહેર અભિન્ન છે. કપડું સૂતરને શોધવા નીકળે એ કેવું ! જીવ બ્રહ્મને શોધે છે પરંતુ જીવ અને શિવ વચ્ચે ભેદ જ કયાં છે ? કબીર કહે છે આ ત્રણ ઠેરના ઠેર, કારણ કે જ્યાં ભિન્નતા જ ન હોય ત્યાં વળી શોધ કેવી ! આપણે જ બ્રહ્મ છીએ એવી આત્મપ્રતીતિ શક્ય ખરી ?

No comments:

Post a Comment