06 January 2009

ચિત્રકારનું ચિંતન


કલા-પ્રદર્શનમાં મૂકેલાં એક ચિત્ર પર બધાની નજર જડાઇ રહેતી હતી. તેના રંગોની છટા પણ અતિશય મોહક હતી. એમાં એક આકૃતિ દોરેલી હતી, જેનો ચહેરો ઘાટા વાળથી ઢંકાયેલો હતો, અને પગમાં પાંખો લગાડેલી હતી.
કોઇએ ચિત્રકારને પૂછ્યું,'આ કોનું ચિત્ર છે ?'
ચિત્રકારે કહ્યું,'અવસરનું !'
'પણ એનો ચહેરો કેમ ઢંકાયેલો છે ?'
'એટલા માટે કે અવસર આવે છે ત્યારે
લોકો એને ઓળખી શકતા નથી.'
'અને આ પગની પાંખો ?'
'એ એમ સુચવે છે કે અવસર આવીને એટલી
ઝડપથી ચાલ્યો જાય છે કે પછી ફરી હાથ નથી આવતો !'

No comments:

Post a Comment