18 May 2012

લિસોટા ગમી જાય છે

સાંજનો આ નશો કૈ શમી જાય છે,
તોય કારણ વગર એ ગમી જાય છે.

રાતના અંધકારે દિવાનો થશે.
આખરે ચેતનાઓ ભમી જાય છે.

વેદનાઓ તમારે જ માથે પડી,
ભીતરે ડાઘ કેવા ખમી જાય છે.

રંગની આ મનોરમ દશાઓ બને,
એ પહેલા લિસોટા ગમી જાય છે.

આથમે કોઈ સોબત અજાણી બની,
લાગભાગે પછી તો નમી જાય છે.

-કાંતિ વાછાણી (૨૭-૦૪-૨૦૧૨)

No comments:

Post a Comment