25 May 2012

ગઝલ ના બની શકે.

રંગાય જાવ તોય ગઝલ ના બની શકે,
વાચાળ પ્યાર હોય ગઝલ ના બની શકે.

આભાસ એ લખે છે મનોમન સનમ તણો,
આવી ખબરને તોય ગઝલ ના બની શકે.

જીવાય છે સલામત શૈશવ સંકોરતા,
જૂની છબી છે કો'ય ગઝલ ના બની શકે.

આ કાચની તલાશ બની આંખમાં પછી,
ભોકાય એક સોય ગઝલ ના બની શકે.

ભભકા બની અંજાય જશે અંધકારમાં,
ગઈ વાંભ એક ભોંય ગઝલ ના બની શકે.

કાંતિ વાછાણી (૨૧-૦૫-12)

No comments:

Post a Comment