30 November 2009

વિલાસથી

કોરી ગઈ મુજ હૈયે વાણી એ વિલાસથી,
કોરા દિલમાં પાંગરી હતી એ વિલાસથી,

બસ એમની યાદ જ આવતી ખુદા મને,
ધર્મની નિઃપેક્ષતા પાંગરી એ વિલાસથી.

સ્વમાનથી રાહબર બનીને ઉઠતી સજા,
મયકદામાં કોણે ભોગવી'તી એ વિલાસથી.

એમને ડર ક્યાં હતો પ્રેમ કે સિતમનો,
બસ દોસ્તો, મહેફીલ મળી એ વિલાસથી.

પ્રતીક્ષા મળી હતી કૈ સવારે અને સાંજે,
મોસમ જો મળે, નીભાવી'તી એ વિલાસથી.

-કાંતિ વાછાણી

No comments:

Post a Comment