15 May 2010

ગઝલમાં

લય ભલેને વહેરાય એ ગઝલમાં,
કૈ દર્દ તોય પડઘાય એ ગઝલમાં.

યાદના આ પુરાવા કોઇ આપે,
વાત કેવી લહેરાય એ ગઝલમાં,

ટેરવા ને મખમલી જોય બોલે,
વેદના થૈ વધેરાય એ ગઝલમાં,

કાયમી એક સરખા ક્યા વિચારો,
તોય જોને ગહેરાય એ ગઝલમાં.

કોઇ લાચાર થાશે વાત કરવા,
એમ વાઘા પહેરાય એ ગઝલમાં.

-કાંતિ વાછાણી

No comments:

Post a Comment