13 July 2009

મન

કોઇના ખ્યાલમાં મન પતંગિયુ થઈને ઉડતુ,
કોઇના વિરહમાં મન વ્યાકુળ થઈને તરસતુ.

સુગંધ સંકેલીને ફુલોના ચહેરાઓ શરમાય છે,
જેમ ઉદાસ દિલમાં કોઇ માવઠુ થઈને વરસતુ.

તારા સુંવાળા સગપણથી મન કાંઈ હરખાય છે,
કોઈ ભીતરના ભેદ મનનો ખેદ લઈને ખટકતુ.

અંધકારના ઓંઠામાં વાતનુ તિમિર અંજાય છે,
કોરા હૈયામાં ચમનની પાંખળી જોઈને ખટકતુ.

કૈ ભગ્ન અવશેષો સોનેરી યાદ લઈને આવે છે,
એજ પછી મનની મુરાદ પુલકિત કરીને ભટકતુ.

કાંતિ વાછાણી

2 comments:

  1. કોઇના ખ્યાલમાં મન પતંગિયુ થઈને ઉડતુ,
    કોઇના વિરહમાં મન વ્યાકુળ થઈને તરસતુ.

    સરસ અભિવ્યક્તિ.

    ReplyDelete