સમી સાંજના સૂર રેલાવો,
હરિ આજ મારા અંતરપટના અંધારા મેલાવો.
આથમતા અજવાળે કોઈ તરણુ જાણી,
માન ભાન ભુલી ને તારુ શરણુ તાણી,
ભલે અક્ષરના મારગ કેમ ન આકરા ઠેરાવો.
સમી સાંજના સૂર રેલાવો,
વધઘટના હિસાબ લેજો મારા ચોપાડે ખાલી,
જીવનબાગનાં તમે થાજો અજોડ વનમાલી,
હરિ આમ અધકચરી ઓળખ બની ના સતાવો.
સમી સાંજના સૂર રેલાવો.
-કાંતિ વાછાણી
૨૭-૦૨-૨૦૧૧
0 Comment(s):
Post a Comment