01 March 2011

સાંજના સૂર

સમી સાંજના સૂર રેલાવો,
હરિ આજ મારા અંતરપટના અંધારા મેલાવો.

આથમતા અજવાળે કોઈ તરણુ જાણી,
માન ભાન ભુલી ને તારુ શરણુ તાણી,

ભલે અક્ષરના મારગ કેમ ન આકરા ઠેરાવો.
સમી સાંજના સૂર રેલાવો,

વધઘટના હિસાબ લેજો મારા ચોપાડે ખાલી,
જીવનબાગનાં તમે થાજો અજોડ વનમાલી,

હરિ આમ અધકચરી ઓળખ બની ના સતાવો.
સમી સાંજના સૂર રેલાવો.

-કાંતિ વાછાણી
૨૭-૦૨-૨૦૧૧

No comments:

Post a Comment