22 September 2010

પડછાયો હટાવી જાય છે

આ તમારી યાદના પદચિન્હ આવી જાય છે,
કે પછી મતલબ બનીને કાંઈ માંગી જાય છે.

આ હથેલીમાં સળવળી સ્નેહની માયા હવે,
તો પછી કરતબ કરીને કેમ ભાગી જાય છે.

આ કરામત પાનખરની ટહુકતી પીળાશમાં,
આખરે તો કોઇ મોસમને વટાવી જાય છે

આ મુલાયમ લાગણીને ક્યાં ભરોસે તોલવી,
તોય જોને ટેવ વશ આશા જગાવી જાય છે.

આ જ છે મોભો અમોને ઓરતા લૈ કાળનો,
આખરે તો કોઈ પડછાયો હટાવી જાય છે.

-કાંતિ વાછાણી

1 comment:

  1. આ હથેલીમાં સળવળી સ્નેહની માયા હવે,
    તો પછી કરતબ કરીને કેમ ભાગી જાય છે.

    mast.. keep it up...

    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    ReplyDelete